વાંકાનેર શહેરની ભાટીયા સોસાયટીમાં આવેલ મકાન અને દુકાન એક મહિલાએ પચાવી પડતા મિલ્કતના માલિકે મહિલાની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના મહેન્દ્રપરા શેર નંબર-૧ માં રહેતા અશોકભાઈ કિશનચંદ તુલશિયાણીએ વાંકાનેર સીટી પોલીસમાં આરોપી સુનીતાબેન વિકાસભાઈ મીંડા સામે ફરિયાદ નોંધાવી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે, વાંકાનેર શહેરની ભાટિયા સોસાયટીમાં ફરિયાદીના માલીકીની દુકાન અને મકાન આવેલ છે તે પચાવી પાડવા માટે સુનીતાબેન વિકાસભાઈ મીંડા નામની મહિલાએ કબજો કરી લીધેલ હોય જેથી ફરિયાદી અશોકભાઈ કિશનચંદ તુલશિયાણીએ આરોપી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધીને આરોપી મહિલાને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. આ કેસની તપાસ ડીવાયએસપી મુનાફખાન પઠાણને સોપવામાં આવેલ છે……

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/HhUUwG5FSw3I2EgxB9bA1W

error: Content is protected !!