વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામથી તીથવા તરફ જવાના માર્ગે આવેલ ખારા વિસ્તારમાં વાડી ધરાવતા ખેડૂત યુવાનને વાડીના શેઢા નજીક ઢોર ચરાવી રહેલા શખ્સને માલઢોરને શેઢાથી દૂર ચરાવવાનું કહેતા ઉશ્કેરાયેલા પશુપાલકે વાડી માલિક પર હુમલો કરી માર મારતાં આ મામલે યુવાને પશુપાલન સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામ ખાતે રહેતા અને ગામથી તીથવા તરફ જવાના માર્ગે આવેલ ખારા વિસ્તારમાં વાડી ધરાવતા રૂકમુદીનભાઈ જીવાભાઈ શેરસીયા પોતાની વાડીએ હોય, ત્યારે તેમની વાડીના શેઢા પાસે માલઢોર ચરાવી રહેલા આરોપી જયરાજસિંહ કરણસિંહ ઝાલા (રહે.કોઠારીયા)ને શેઢાથી દૂર માલઢોર ચરાવવાનું કહેતા આરોપી ઉશ્કેરાઇ જઇ અને પોતાની પાસે રહેલી લાકડી વડે ખેડૂત યુવાન પર હુમલો કરી માર મારતાં યુવાનને ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચી હતી, જેથી આ બનાવમાં ખેડૂત યુવાને આરોપી સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf

error: Content is protected !!