વાંકાનેર તાલુકાના સિંઘાવદર-ખીજડીયા ગામ વચ્ચે આવેલ નાલા પાસે એક યુવાનનું બાઈક સ્લીપ થઈ જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવાનનું મોત થયું હતું જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સિંધાવદર અને ખીજડીયા ગામે વચ્ચે વાંકાનેર-રાજકોટ રોડ પર આસોઈ નદીના પુલ પર બાઇક સ્લીપ થઇ જતા મૂળ રાજકોટના વતની અને હાલ વાંકાનેરના ચંદ્રપુર ગામ ખાતે રહેતા દાઉદશા મોહમ્મદશા ફકીર (ઉ.વ. 37) નું મોત થયું હતું…

અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક યુવાન ઇદના તહેવાર નિમિત્તે રાજકોટના કબ્રસ્તાન ખાતે ફુલ ચઢાવવા ગયો હોય અને પરત વાંકાનેર આવતી વેળાએ સીંધાવદર નાલા પાસે બાઈક સ્લીપ થઈ જતા તેનું મોત થયું હતું. જેથી વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/EDrEarSL9YFCHucMHVvFvN

error: Content is protected !!