વાંકાનેર તાલુકાના ખખાણા ગામ ખાતે રહેતી એક 14 વર્ષીય તરુણીએ કોઈ અગમ્ય કારણોસર ગામની સીમમાં આવેલ વાડી ખાતે ઝેરી દવા પી આપઘાત કરી જીવન ટુંકાવ્યું હતું જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ખખાણા ગામ ખાતે રહેતી 14 વર્ષીય તરુણી સરોજબેન ધનજીભાઇ ગાંગાણીએ ગઈકાલે ખખાણા ગામની સીમમા આવેલ વાડી ખાતે કોઈ અગમ્ય કારણોસર કપાસમા નાંખવાની દવા પી લેતા ઝેરી અસર થતા તેણીને કુવાડવા શ્રીજી હોસ્પીટલમાં સારવાર માટે ખસેડાઇ હતી, જ્યાં સારવાર દરમ્યાન તેણીનું મોત થયું હતું જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/EWKXbrU4DOy47Aw6sqSGm7

error: Content is protected !!