વાંકાનેર તાલુકાની રાતીદેવરી પ્રાથમિક શાળામાં આજરોજ કારગિલ વિજય દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના બાળકોએ વિવિધ દેશભક્તિને લગતા કાર્યક્રમો યોજી શહિદ વિરોને યાદ કર્યા હતા….

વાંકાનેર તાલુકાની રાતીદેવળી પ્રાથમિક શાળામાં કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના આચાર્યશ્રી રજીયબેન હેરંજા, તમામ સ્ટાફ ગણ અને બાળકો દ્વારા કારગિલ યુદ્ધમાં શહિદ થયેલા સૈનિકોને  શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સાથે જ શાળાના શિક્ષિકા દિનાબેન સંઘવીએ વિજય દિવસ વિશે બાળકોને વિગતવાર માહિતી આપી હતી…

આ તકે શાળા દ્વારા બાળકો માટે LOC કારગિલ ફિલ્મ જોવાની વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ વિજય દિવસને ખરા અર્થમાં સાર્થક બનાવવા બાળકો દ્વારા પરેડ કરી શહિદવિરોને યાદ કરી કારગિલ વિજય દિવસની ઉત્સાહ અને દેશભક્તિના ભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl

error: Content is protected !!