વાંકાનેર શહેર ખાતે આવેલ શ્રી કે. કે. શાહ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, સ્ટાફ અને ટ્રસ્ટી મંડળે ભાગ લીધો હતો….

વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે અને તેઓ પોતાના જીવનમાં વૃક્ષોનું મહત્વ સમજે તે હેતુથી આયોજીત આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં મહેમાનો અને ટ્રસ્ટીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના પૂવૅ છાત્ર તેમજ મોરબીના ઉદ્યોગપતિ અલ્પેશભાઈ, ટ્રસ્ટી વિનુભાઈ રૂપારેલીયા,

વ્યવસ્થાપક ધ્રુવગીરી ગોસ્વામી, પ્રધાનાચાર્ય નીલેશભાઈ ધોકિયા તથા વિદ્યાલયના આચાર્યગણ દ્વારા વૃક્ષારોપણ કરી અને વિદ્યાર્થીઓમાં રોપા વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિદ્યાલયના આચાર્ય અને પર્યાવરણ પ્રેમી ભુપતભાઇ છૈયા દ્વારા કરવામાં આવ્યું હતું….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI

error: Content is protected !!