જલ જીવન મિશન કાર્યક્રમ અંતર્ગત મોરબી જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠકમાં રૂ. 60 લાખના કામ મંજુર કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે વર્ષ 2021-22માં મોરબી જિલ્લાના 23 ગામોમાં અંદાજે 65 લાખ રૂપિયાના ખર્ચે કામો પૂર્ણ કરવામાં આવ્યા છે…

જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં ગુરુવારે યોજાયેલ આ બેઠકમાં જલ જીવન મિશન કાર્યક્રમ અંતર્ગત પ્રગતિ હેઠળના ગામોની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત વર્ષ 2021-22 ગ્રામ્ય વિસ્તાર પાણી વિતરણ યોજનાઓને પણ વહિવટી મંજૂરી આપવામાં આવી હતી. જેમાં મોરબી જિલ્લામાં ૩૯૬ લાખ રૂપિયાના ખર્ચે ચાલી રહેલા કામોની સમીક્ષા કરવામાં આવી હતી. જ્યારે મોરબીના નીચી માંડલ, માળીયાના વવાણીયા અને વાકાંનેરના ધર્મનગર ખાતેના 60 લાખ રૂપિયાના ખર્ચે તાંત્રીક મંજૂરી મળેલ ગામોને વહિવટી મંજૂરી પણ આપવામાં આવી હતી…

અગાઉ મોરબી જિલ્લાના 21 ગામોમાં 2.43 કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ કામોની મળેલ વહિવટી મંજૂરીને 2.80 કરોડ રૂપિયાની રીવાઇઝ વહિવટી મંજૂરી અંગે પણ આ બેઠકમાં સમીક્ષા કરાઇ હતી. જલ જીવન મિશન કાર્યક્રમ હેઠળ વર્ષ 2021-22માં મોરબી જિલ્લાના 23 ગામોમાં અંદાજે 65 લાખ રૂપિયાના ખર્ચે પૂર્ણ થયેલ કામોની પણ ચર્ચા કરવામાં આવી હતી…

આ બેઠકમાં જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિના અધ્યક્ષ અને ક્લેક્ટર જે. બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈલાબેન ગોહીલ, જિલ્લા આરોગ્ય અધિકારી જે. એમ. કતીરા, ગુ.પા.પુ.બોર્ડના કાર્યપાલક ઇજનેર વાય. એમ. વંકાણી, સહાયક માહિતી નિયામક ઘનશ્યામ પેડવા,

જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સી. સી. કાવર, જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિના સભ્ય સચિવ અને યુનિટ મેનેજર એન. જે. રૂપારેલ, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી કે. વી. ભરખડા, જિલ્લા કો-ઓડીનેટર કીરીટ બરાસરા તથા અન્ય સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

 

https://chat.whatsapp.com/K9LOywS76zl4e4qPDbPIoN

 

error: Content is protected !!