માનવ અધિકાર ઍશોસિએશન-વાંકાનેરના મંત્રી અને વાંકાનેર શહેરની નામાંકિત પેઢી એવી આશિર્વાદ પેઇન્ટસના ઓનર એવા યાસીનભાઈ ખલીફાનો આજે જન્મદિવસ છે. યાસીનભાઈ ખલીફા સતત લોકો વચ્ચે રહી લોકસેવાના કાર્યોમાં પરોવાયેલા રહેતા હોય જેથી આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે…

યાસીનભાઈ હાલ કોરોના મહામારીમાં લોકોને મદદરૂપ થવા માટે પ્રથમ લહેર દરમિયાન અનાજ કીટ અને બીજી લહેરમાં ઓક્સિજન સિલિન્ડર અને ઓક્સિજન કીટો વિના મૂલ્યે વિતરણ કરી સાચા લોકસેવક તરીકે પ્રસ્થાપિત થયા હતા. આ મહામારીમાં જ્યારે લોકો પોતાના સ્વજનને બચાવવા માટે હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે તેઓની વહારે આવ્યા હતા લોકોને શક્ય એટલી મદદ કરી હતી…

સતત લોકસેવા સાથે સંકળાયેલા યાસીનભાઈ ખલીફા પોતાના સરળ અને મિલનસાર સ્વભાવના કારણે બહોળુ મિત્રવર્તુળ ધરાવે છે જેથી આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મોબાઈલ નંબર 99984 32902 પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે…

ચક્રવાત ન્યુઝ અને ટીમ તરફથી યાસીનભાઈ ખલીફાને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ…

error: Content is protected !!