રાજ્યના જુદા જુદા રા.અ.પો. દળના આર્મ પો.કો.ની મરીન કમાન્ડો તરીકે પ્રતિનિયુક્તિના ધોરણે પસંદગી પ્રક્રિયા હાથ ધરવાની હોઇ, તેઓની ફાયરીંગ ટેસ્ટ લેવા માટે વાંકાનેર ફાયરીંગ બટ ખાતે ફાયરીંગ પ્રેકટીસ દરમિયાન તા.૧૦/૧૦/૨૦૨૨ થી ૨૦/૧૦/૨૦૨૨ સુધી વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનોના માટે પ્રવેશબંધી જાહેર કરતું જાહેરનામું અધિક કલેકટર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે…

આ જાહેરનામાં અનુસાર વાંકાનેર ખાતે ફાયરીંગ બટ વાંકાનેર રેલ્વે લાઈન તરફ સિંધાવદર રેલ્વે ફાટકથી વાંકાનેર તરફ જતા રેલ્વે લાઈનને સમાંતર સામે અમરનગર ફાટક પાસે, ઉતરે આવેલ ડુંગરની ધાર પાસ આવેલ છે, તે ફાયરીંગ બટ વિસ્તારમાં તા.૧૦/૧૦/૨૦૨૨ થી ૨૦/૧૦/૨૦૨૨ સુધી જાહેર જનતાને પ્રવેશવું નહીં, ત્યાંથી પસાર થવું નહીં, કોઈ વાહનો કે ઢોર સાથે ત્યાંથી પસાર થવું નહી. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ ની તથા ભારતના ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાપાત્ર થશે….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/BXe7wBIsWfEBenSrHrJ7SR

error: Content is protected !!