વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક આવેલ સીરામીક કારખાનાની ઓરડીમાં રહેતા એક યુવાનને ઝેરી જનાવર કરડી જતાં તેને ઝેરી અસર થવાથી તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરતા બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક આવેલ સનહાર્ટ સિરામિક કારખાનાની ઓરડીમાં રહી મજુરી કામ કરતા સંજુભાઈ મનુભાઈ માવી(ઉ.વ. ૨૭) નામના પરપ્રાંતિય યુવાનને તેની ઓરડીમાં કોઈ ઝેરી જનાવર કરડી જતા તેને ઝેરી અસર થવાથી તાત્કાલિક સારવાર અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરતા આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl

error: Content is protected !!