ગુજરાતમાં ગઇકાલે જાહેર થયેલા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પરિણામોમાં વાંકાનેર તાલુકા પંચાયતની ચંદ્રપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર રૂકશાનાબેન ઈસ્માઈલભાઈ શેરસીયાનો વિજય થતાં તેમણે ચંદ્રપુર તાલુકા પંચાયત બેઠકના તમામ મતદારોનો હૃદય-પૂર્વક આભાર માન્યો હતો….

ચંદ્રપુર તાલુકા પંચાયત બેઠકના લોકલાડીલા વિજેતા ઉમેદવાર રૂકશાનાબેન ઈસ્માઈલભાઈ શેરસીયાએ પોતાના મતવિસ્તારના તમામ મતદારો, કોંગ્રેસના કાર્યકરો, સામાજિક-રાજકીય આગેવાનો અને ખેડૂતોનો તેમને જંગી બહુમતીથી વિજયી બનાવવા બદલ જાહેર આભાર વ્યક્ત કર્યો છે…

ચુંટણી જાહેર થઈ ત્યારથી પરિણામ જાહેર થયા સુધી ચંદ્રપુર તાલુકા પંચાયત બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર રૂકશાનાબેન ઈસ્માઈલભાઈ શેરસીયાને વિજયી બનાવવા માટે તનતોડ મહેનત કરનાર તમામ કાર્યકરો, કોંગ્રેસના આગેવાનો અને આ વિસ્તારના મતદારો જેમણે તેમના પર વિશ્વાસ મુકી અને કોંગ્રેસ તરફી જંગી મતદાન કરી તેમને વિજય બનાવનાર તમામ મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો…

આ સાથે જ તેમણે આગામી સમયમાં આ વિસ્તારના તમામ પ્રશ્ને શક્ય તમામ પ્રયાસો કરી અને આ વિસ્તારના વિકાસ માટે સહભાગી બનશે તેવો મતદારોને વિશ્વાસ અપાવ્યો છે…

લી.
રૂકશાનાબેન ઈસ્માઈલભાઈ શેરસીયા
(સદસ્ય, વાંકાનેર તાલુકા પંચાયત)
ઈસ્માઈલભાઈ શેરસીયા
(કોંગ્રેસ અગ્રણી અને પુર્વ સરપંચ, ચંદ્રપુર ગ્રામ પંચાયત)

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Hpo1NX3xfPNGBiOIH1pAjL

error: Content is protected !!