લોકોએ કેન્ડલ માર્ચ યોજી દિવંગતોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી….

વાંકાનેર શહેરની અરૂણોદય સોસાયટી ખાતે આજરોજ મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોની યાદીમાં કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા…

વાંકાનેર શહેર નજીક આવેલા અરૂણોદય સોસાયટીથી પટેલ સમાજની વાડી સુધી યોજાયેલ આ કેન્ડલ માર્ચમાં બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં પટેલ સમાજની વાડી નજીક એક શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરી ત્યાં કેબલ બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0

error: Content is protected !!