ટિકિટ ન મળતા અપક્ષમાં ભરી બળવો કરનાર મધુ શ્રીવાસ્તવ, અરવિંદ લાડાણી, દિનુ પટેલ, સહિત સાત નેતાઓ સસ્પેન્ડ…

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 27 વર્ષથી સરકાર ચલાવી રહેલા ભાજપની કામગીરી પર સૌની નજર ટકેલી છે. પાર્ટી ફરી એકવાર રાજ્યમાં કમળને ખીલવવા માટે સંપૂર્ણ તાકાત લગાવી રહી છે. પરંતુ બળવાખોર નેતાઓ સમગ્ર ખેલ બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભાજપે હવે બળવાખોરો સામે કડક કાર્યવાહી કરી છે. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પક્ષ સામે બળવો કરનાર 7 નેતાઓને હાંકી કાઢ્યા છે…

ગુજરાતમાં ભાજપે બળવાખોર નેતાઓ સામે મોટી કાર્યવાહી કરી છે. ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે 7 બળવાખોર નેતાઓને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. મધુ શ્રીવાસ્તવ, અરવિંદ લાડાણી, દિનુ પટેલ, હર્ષદ વસાવા, ધવલસિંહ ઝાલા સહિત 7 નેતાઓને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ભાજપના અનેક નેતાઓએ પક્ષમાંથી ટિકિટ ન મળતા અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. આમાં ઘણા ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યો પણ સામેલ છે. પક્ષમાંથી હાંકી કાઢવામાં આવેલા અરવિંદ લાડાણીએ પણ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. પ્રદેશ પ્રમુખને સમજાવ્યા બાદ પણ તેમણે ઉમેદવારી પાછી ખેંચી નથી. વાઘોડિયાથી ભાજપની ટિકિટ પર 6 વખત ધારાસભ્ય રહી ચૂકેલા મધુ શ્રીવાસ્તવને ટિકિટ ન મળતાં તેઓ પણ અપક્ષ મેદાનમાં ઝંપલાવ્યું હતું….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0

 

error: Content is protected !!