વાંકાનેર શહેરના ગાયત્રી મંદિર નજીક થોડા દિવસ પહેલા એક યુવક અને યુવતીએ સજોડે ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં યુવતીનું સારવાર મળે તે પહેલાં જ મોત થયું હતું જ્યારે યુવાનને સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો જ્યાં આજે સારવાર દરમિયાન યુવાનનું પણ મોત થયું છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ધમલપર ગામ ખાતે રહેતા રીટાબેન રાજુભાઈ અબાસણીયા (ઉ.વ.૨૦) અને વાંકાનેર શહેરના આરોગ્યનગર વિસ્તારમાં રહેતા દેવરાજ જયંતીભાઈ માણસુરીયા એમ બંને પ્રેમી પંખીડાએ થોડા દિવસ પહેલા સજોડે ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં યુવતીનું મોત થયું હતું જ્યારે દેવરાજ નામના યુવાનને સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો જ્યાં આજે સારવાર દરમિયાન યુવાનનું પણ મોત થયું છે…
આ બનાવમાં બંનેએ ક્યાં કારણોસર દવા પીધી હતી તે કારણ સ્પષ્ટ થયું ના હતું તો યુવાનના પણ મોતને પગલે આ રહસ્ય અકબંધ જોવા મળી રહ્યું છે, હાલ આ બનાવ મામલે વાંકાનેર સીટી પીએસઆઈ બી ડી જાડેજા અને ટીમ તપાસ ચલાવી રહી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Lx2QskXXZMs3SVDI5qR4Oq