અરણીટીંબા સુની જમાત તથા યંગ ગૃપ દ્વારા પુરગ્રસ્ત ગામડાઓમાં રાશન કિટો અને જીવનજરૂરી ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું….

વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામના યુવાનો દ્વારા ગામની સુન્ની મુસ્લિમ જમાતના સહયોગથી જામનગરના ગુલાબનગર, ઘાંચીવાડ તથા અલીયાબાડા સહિતના પુરગ્રસ્ત ગામડાઓ માટે રાશન કીટ અને જીવનજરૂરી ચીજવસ્તુઓ એકઠી કરી પુરગ્રસ્ત નાગરિકોમાં વિતરણ કરવામાં આવી હતી….

ગામના યુવાનો દ્વારા બટાટા, ડુંગરી, ચોખા, ઘઉંનો લોટ, ખીચડી, બિસ્કીટ, તેલ, હળદર, મરચું, ધાણાજીરું, માચીસ, મીઠું સહિતની રાશન સામગ્રી વડે 300 જેટલી રાશન કીટ તેમજ જીવનજરૂરી ચીજવસ્તુઓમાં 400 જોડી ઓઢવા માટે કપડાં, 300 નંગ ગોદડા, 50 જેટલી ચાદર તેમજ 300 બ્લેંકેટનું પુરગ્રસ્ત ગામડાઓના નાગરિકોમાં વિતરણ કરવામાં આવ્યું હતું…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/GwvaiaIa6u6Hh5q4m1UAJF

error: Content is protected !!