બંને બાળકોએ મુસ્લિમો માટે મહત્વના અને કઠીન એવા દસ દિવસના એતેકાફ(એકાંતવાસ) અને રોજા રાખી ખુદાની અનેરી બંદગી કરી….

વાંકાનેર તાલુકાના અરણીટીંમ્બા ગામની સહકારી મંડળીના મંત્રીશ્રી ફારૂકભાઈ બાદીના નવ વર્ષીય દીકરા નૌમાન બાદીએ માહે રમજાનુલ મુબારક મહિનામાં 20 ચાંદથી ચાંદ રાત સુધી દસ દિવસ સતત બીજા વર્ષે એતકાફ કરેલ છે. મુસ્લિમો માટે મહત્વના અને કઠીન એવા રમઝાન માસના છેલ્લા દસ દિવસના એતેકાફ(એકાંતવાસ) જેમાં મુસ્લિમ બિરાદરો દસ દિવસ સુધી એકાંતવાસ સાથે દુનિયાથી પડદો કરી રોજા સાથે ખુદાની બંદગી કરે છે…

સાથે જ આ ગામના સામાજિક અગ્રણી ઇરફાનભાઈ ચૌધરીના પુત્ર સાયાને પણ 27 ચાંદથી મસ્જિદમાં બેસી એતેકાફ અને રોઝા રાખેલ છે. બંને બાળકોએ નાની ઉંમરમાં તમામ નીતિનિયમો સાથે એતેકાફ પુરા કરી અને રમઝાન માસના રોઝા રાખી અલ્લાહ બંદગી કરી મોટેરાઓ માટે પ્રેરણારૂપ બન્યા છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/EWKXbrU4DOy47Aw6sqSGm7

error: Content is protected !!