વાંકાનેર માર્કેટિંગ યાર્ડ દ્વારા આગામી તા. 30/11/21 થી 02/12/21 દરમ્યાન ગુજરાતમાં ઝડપી પવન ફૂંકાવાની તથા ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહીને પગલે કૃષિ જણસોની ઉતરાઇ અંગે ખેડૂતોના હિતમાં મહત્વની જાહેરાત કરવામાં આવી છે જેમાં..

 

૧). ઉપરોક્ત દિવસો દરમ્યાન ખેડૂતોએ દલાલભાઈઓનો સંપર્ક કરીને જ યાર્ડ ખાતે આવવું અને દલાલભાઈઓએ કમોસમી વરસાદ અંગે ખેડૂતોને જાણ કરવી…

૨). ખેડૂતોએ પોતાનો માલ તાલપત્રી ઢાંકીને યાર્ડ ખાતે લાવવાનો રહેશે અને શેડમાં જગ્યા હશે ત્યાં સુધી જ માલની ઉતરાઇ કરવા દેવામાં આવશે…

૩). ઉપરાંત જે વેપારીઓનો માલ ખુલ્લામાં પડ્યો હોય તેને પોતાના ગોડાઉનમાં રાખવાની વ્યવસ્થા કરવાની રહેશે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Jteb7Fbl3faARzF6FQshtT

error: Content is protected !!