શ્રી દોશી કોલેજ વાંકાનેરના એન.એસ.એ.સ વિભાગ દ્વારા ‘ પોષણ પખવાડિયા ‘ની ઉજવણીના ભાગરૂપે કોલેજની વિદ્યાર્થીની બહેનો માટે ” કિશોરવયની બાળકીઓ માટે આહારમાં પોષણનું મહત્વ” વિષય પર ઓનલાઈન વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયના આસિસ્ટન્ટ પ્રોફેસર શ્રી કાંચી બારીયા દ્વારા ખોરાકમાં રહેલા પોષકતત્વોની શરીરના વિકાસમાં જરૂરિયાત અંગે વિસ્તારથી માહિતી આપવામાં આવી હતી…
આ કાર્યક્રમમાં દોશી કોલેજની 128 જેટલી વિદ્યાર્થીની બહેનોએ ભાગ લીધો હતો. તેમજ આ કાર્યક્રમનું સમગ્ર આયોજન અને સંચાલન N.S.S. પ્રોગ્રામ ઓફિસર ડો. શૈલેષ લાવડીયા દ્વારા કરવામાં આવ્યું જેમાં કોલેજના પ્રિન્સીપાલ શ્રી ચુડાસમા સાહેબ અને સર્વ સ્ટાફ મિત્રોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/IZu1BnaSdSzF46c9hEdMUA