વાંકાનેર શહેરની શ્રી કે. કે. શાહ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા દર વર્ષે દિવાળીના દિવસે ગરીબ વિસ્તારોમાં મીઠાઈ, કપડા, પર્યાવરણને નુકસાન ન કરે એવા ફટાકડા, સુકોમેવો, બિસ્કીટ સહિતની વસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે જેમા આ વર્ષે પણ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ગરીબ બાળકોમાં ઉપરોક્ત વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું….
દર વર્ષની માફક આ વર્ષે પણ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ગઈકાલ તા. 31-10-21, રવિવારના રોજ મીઠાઈ, કપડા, પર્યાવરણને નુકસાન ન કરે એવા ફટાકડા, સુકોમેવો, બિસ્કીટ સહિતની વસ્તુઓનું ગરીબ બાળકોમાં વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે શાળાના ટ્રસ્ટી અમરશીભાઈ મઢવી, કિશોરભાઈ પુજારા, દિનેશભાઇ રાવલ, વિનુભાઇ શાહ, શિક્ષક ધર્મેન્દ્રસિંહ ઝાલા, કલ્પેશભાઈ ભટ્ટ, ભુપતભાઈ છૈયા તેમજ પૂવૅ છાત્રો રાહુલભાઈ, વિશેષ રાવલ, દેવાંગ દોશી, જયદેવ સરવૈયા, મિહિર, જયદીપ સહિતના વિદ્યાર્થીઓએ ગરીબ બાળકો સાથે દિવાળી મનાવી હતી….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/EAXwU1EY8NpKgAA84tqrOe