વાંકાનેર શહેર ખાતે આજરોજ તળપદા કોળી સમાજને ભાજપ દ્વારા થઈ રહેલ અન્યાય બાબતે તાત્કાલિક ચિંતન બેઠક મળી હતી જેમાં જો આગામી દિવસોમાં બાબતે પક્ષ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો સમાજના તમામ રાજકીય આગેવાનો પક્ષમાં પોતાના હોદ્દા પરથી રાજીનામાં આપશે તેવી ચિમકી આપવામાં આવી હતી…

વાંકાનેર વિસ્તારમાં રાજકીય ક્ષેત્રે જાણી જોઈને વારંવાર તળપદા કોળી સમાજ પ્રત્યે અમુક ભાજપના નેતા દ્વારા જે કિન્નાખોરી રાખવામાં આવે છે તે બાબતે આજે વાંકાનેર શહેર ખાતે તળપદા કોળી સમાજના સામાજિક અને રાજકીય આગેવાનો એકઠા થઈ, જો આ બાબતમાં યોગ્ય નિર્ણય નહિ કરવામાં આવે તો સમાજના ભાજપ પક્ષના હોદ્દેદારો પોતાના હોદ્દા ઉપરથી સમાજના હિત માટે પોતાનું રાજીનામું આપવાની તૈયારી દર્શાવી હતી…

આ બાબતે આગામી દિવસોમાં તળપદા કોળી સમાજના ગુજરાતના રાજકીય તેમજ સામાજિક આગેવાનો સાથે ચર્ચાઓ કરીને વાંકાનેર મુકામે તળપદા કોળી સમાજના આગેવાનોની એક ચિંતન બેઠક આવનાર દિવસોમાં બોલાવવામાં આવશે તેવો આ તાત્કાલિક મળેલ બેઠકમાં નિર્ણય કરવામાં આવેલ…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/EDrEarSL9YFCHucMHVvFvN

error: Content is protected !!