વાંકાનેર તાલુકા પોલીસના વિસ્તારમાંથી દોઢ વર્ષ પુર્વે એક સગીરાનું અપહરણ કરી ભગાડી ગયેલ શખ્સને મોરબી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ટીમ દ્વારા કોલકત્તા ખાતેથી ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જીલ્લા પોલીસવડાની સુચનાથી અપહરણ થયેલ અને ગુમ થયેલ વ્યક્તિઓને શોધી કાઢવા એન્ટી હુમન ટ્રેફિકિંગ યુનિટ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક સગીરાનું અપહરણ કરનાર આરોપી ઉમાશંકર ગૌરાંગશંકર ભૂણીયા હાલ કોલકત્તા ખાતે હોવાની ચોક્કસ ખાનગી બાતમીને આધારે મોરબી AHTU ટીમ દ્વારા કોલકત્તા ખાતે તપાસ કરી આરોપીને ઝડપી પાડી ભોગ બનનારને શોધી કાઢી વાંકાનેર તાલુકા સર્કલ પોલીસ ઇન્સ્પેકટરને સોપવામાં આવ્યા હતા…

મોરબી એન્ટી હ્યુમન ટ્રેફિકીંગ યુનિટના પીઆઇ એન. એ. વસાવા, નંદલાલ વરમોરા, ભરતસિંહ ડાભી, ફૂલીબેન ઠાકોર અને બકુલભાઈ કાસુન્દ્રા સહિતનો સ્ટાફ જોડાયો હતો…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf

error: Content is protected !!