વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક દેવીપૂજક વાસમાં રહેતી એક 36 વર્ષીય મહિલાને ઘરના ફળિયામાંથી કોઈ ઝેરી જનાવર કરડી જતા તેને ઝેરી અસર થતા મહિલાનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ઢુવા ગામે આવેલ દેવીપૂજક વાસમાં રહેતા ગીતાબેન વલ્લભભાઈ મણદરીયા (ઉ.વ. 36) નામની મહિલા પોતાના ઘરના ફળિયામાં ઉભી હોય ત્યારે તેને કોઈ ઝેરી જનાવર કરડી જતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને તપાસી મૃત જાહેર કરતા આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!