વાંકાનેરની અમરસર ફાટક પાસે ગત શનિવાર રાત્રિના એક બાઇક ચાલકે ત્યાંથી પસાર થતી વૃદ્ધ મહિલા પદયાત્રીને ઠોકર મારી ફંગોળી દેતા ગંભીર ઇજાઓ પહોંચતા મહિલાનું મોત થયું હોય, જે બનાવમાં બાઇક ચાલક સામે વાંકાનેર સીટી પોલીસમાં ગુનો નોંધાયો છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ કેવડાવાડી ખાતે રહેતા મનીષાબેન મધુસુંદનભાઈ સોજીત્રા (ઉ.વ. 63) નામની વૃદ્ધ મહિલા રાજકોટથી માટેલ પગપાળા ખોડિયાર માતાજીના મંદિરે દર્શન કરવા જતા હોય ત્યારે વાંકાનેરની અમરસર ફાટક પાસેથી પસાર થતા બાઈક નંબર GJ 03 CN 9918ના ચાલકે તેમને ઠોકર મારી ફંગોળી દેતા મનીષાબેનને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મોત થયું હતું, જે બનાવમાં મૃતક વૃદ્ધ મહિલાના પતિ મધુસુદનભાઈ સોજીત્રાએ વાંકાનેર સિટી પોલીસમાં બાઇક ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બાઈક ચાલક સામે આઇપીસી કલમ ૨૭૯, ૩૦૪(અ) તથા એમ.વી.એક્ટ ૧૭૭, ૧૮૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/HSBIa43XQiaFWG9yQhudCV