હવામાન વિભાગ દ્વારા આગામી મંગળવાર સુધી કમોસમી વરસાદની આગાહી હોય, જેના પગલે વાંકાનેર માર્કેટિંગ યાર્ડ દ્વારા વ્યવસ્થાના ભાગરૂપે આગામી નવી જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી મગફળીની ઉતરાઇ બંધ કરવા નિર્ણય લેવાયો છે, જેની તમામ ખેડૂતોએ નોંધ લેવા જણાવાયું છે…

આ સાથે જ યાર્ડમાં અન્ય ખેત જણસીઓની ઉતરાઈ રાબેતા મુજબ શરૂ રહેશે, પરંતુ કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોએ યાર્ડમાં પોતાનો માલ પ્લાસ્ટિક કાગળ અથવા તાલપત્રી ઢાંકીને લાવવાનો રહેશે. કપાસની ઉતરાઈ બાબતે શેડમાં જગ્યા હશે તે મુજબ ઉતરાઈ કરવામાં આવશે અન્યથા ખેડૂતોએ પોતાનું વાહન ઉભું રાખવાનું રહેશે તેવું યાર્ડ મેનેજમેન્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/HSBIa43XQiaFWG9yQhudCV

error: Content is protected !!