જેતપરડા રોડ પર આવેલ સિરામિક અને રિફ્રેક્ટરીઝ યુનિટોમાં ભારે નુકસાનીથી ઉદ્યોગકારોની કફોડી સ્થિતિ : પ્રજ્ઞેશ પટેલ

વાંકાનેર પંથકમાં ગઇકાલે સવારે આવેલ કમોસમી વરસાદ અને બરફના કરા સાથેના વાવાઝોડાના કારણે આજુબાજુના ઔધોગીક એકમોને કરોડોનું નુક્શાન થવા પામ્યું છે, જેમાં વાંકાનેર તાલુકામાં આવેલા સિરામિક, સેનેટરી, રિફ્રેક્ટરીઝ સહિતના ઔધોગિક એકમોમાં જંગી નુક્શાન થયું હતું….

આ વાવાઝોડાના કારણે ઔધોગિક એકમોનાં વિશાળ શેડ પર બરફનાં કરા પડવાથી શેડ ચારણી બની ગયા હતાં, જેને કારણે શેડમાં પાણી ભરાતાં કરોડોનો કાચો માલ પલળી ગયો હતો, જેમાં પણ અમુક નવા જ બનેલા એકમો તાત્કાલિક બંધ કરવા પડ્યા હતાં, ખાસ કરીને ફાયર બ્રિક્સ, સેનેટરી વેર્સ સહિતના ઔધોગિક એકમોમાં જંગી નુક્શાન થયું હોવાનું ઉદ્યોગપતિ અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પ્રજ્ઞેશભાઈ પટેલે જણાવ્યું હતું….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/HSBIa43XQiaFWG9yQhudCV

error: Content is protected !!