વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ એક સીરામીક કારખાનામાં રહી મજુરી કામ કરતા યુવાને કોઈ અગમ્ય કારણોસર કારખાનાની લેબર કોલોનીના રૂમમાં ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધી કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર નજીક આવેલ મોટો સ્લીમ કારખાનાની લેબર કોલોનીમાં રહી મજુરી કામ કરતા પરપ્રાંતિય યુવાન અંકુશ નંદકિશોર (ઉ.વ. 25, રહે. મુળ ઉત્તરપ્રદેશ)એ કોઈ અગમ્ય કારણોસર પોતાના રૂમમાં પ્લાસ્ટિકની દોરી વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ અંગે નોંધ કરી બનાવની વધુ તપાસ હાથ ધરી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!