વાંકાનેર શહેર નજીક આવેલ નર્સરી ચોકડી પાસે હાઇવે રસ્તો ક્રોસ કરતા એક આધેડને ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં આધેડને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક આવેલ નર્સરી ચોકડી પાસે હાઇવે પર રસ્તો ક્રોસ કરવા જતાં મોટા ભોજપરા ગામના રાજેશભાઇ મુળજીભાઈ ચાવડા (ઉ.વ. 48) નામના આધેડને વાંકાનેરથી લુણસર તરફ જતા એક ટ્રક નં. GJ 25 U 9088 ના ચાલકે હડફેટે લેતા ટ્રકના પાછળના વ્હીલ નીચે કચડાઇ જતાં રાજેશભાઇને તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર બાદ રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થતાં મોત આ બનાવની વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી મૃતકના પત્ની શાંતુબેનની ફરિયાદ પરથી ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/HSBIa43XQiaFWG9yQhudCV

error: Content is protected !!