ઉમેદવારોએ આગામી ૧૧ મે સુધીમાં અરજી મોકલી આપવાની રહેશે…

વાંકાનેર તાલુકામાં મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સરકારશ્રીએ નિયત કરેલ માસીક ઉચ્ચ વેતનથી તદ્દન હંગામી ધોરણે ખાલી પડેલ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે, જેમાં સંચાલક તરીકે ૨૧, રસોઇયા તરીકે ૩૪ અને મદદનીશ તરીકે ૫૯ જગ્યા પર ભરતી કરવામાં આવશે…

જેમાં રસ ધરાવતા ઉમેદવારોએ આગામી તા. 11 મે સુધીમાં અરજી કરવાની રહેશે, જેમાં ઉમેદવારની ઉંમર ૨૦ થી ઓછી અને મહતમ ૬૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ, ઉમેદવાર એસ.એસ.સી પાસ હોવા જોઇએ. એસ.એસ.સી પાસ ન હોય તો ધોરણ-૭ પાસની છુટછાટ આપવામાં આવશે, જ્યારે રસોયા તથા મદદનીશ માટે કોઈ શૈક્ષણીક લાયકાત નક્કી કરવામાં આવેલ નથી, પરંતુ તંદુરસ્તી સારી હોવી જોઈએ તથા કોઈપણ રોગની દવા ચાલુ ન હોવી જોઈએ જેમાં મહિલા ઉમેદવારોને અગ્રતા આપવામાં આવશે….

ટંકારા મામલતદાર કચેરીએથી નિયત નમુનાનું ફોર્મ મેળવી ભરેલ અરજી ફોર્મ તા.૧૮-૦૫-૨૦૨૩ સુધીમાં મોકલી આપવાનું રહેશે. જે ઉમેદવારને ઇન્ટરવ્યુમાં બોલાવવામાં આવે તે ઉમેદવારોએ તારીખ ૨૫-૦૫-૨૦૨૩ના રોજ સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે તેમજ રજૂ કરેલ અભ્યાસ તથા ઉંમર અંગેના આધારો સાથે લાવવાનાં રહેશે. ફોર્મ ભરવા અંગેની વધુ માહિતી માટે મધ્યાહન ભોજન શાખા, મામલતદાર કચેરી વાંકાનેરનો રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે તેમ મામલતદાર વાંકાનેરની યાદીમાં જણાવાયું છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU

error: Content is protected !!