ગ્રામ પંચાયતના પ્રયાસો અને ગામ લોકોના સહયોગ થકી લુણસરીયા ગામ બન્યું છે ચોખ્ખું ચણાક…
સરકારની ‘સ્વચ્છ ભારત અભિયાન’, ‘મારુ ગામ સ્વચ્છ ગામ’ તેમજ હાલ ચાલી રહેલા ‘સ્વચ્છતા એ જ સેવા’ અભિયાનને ખરા અર્થમાં વાંકાનેર તાલુકાના લુણસરિયા ગામએ સાર્થક કરી બતાવ્યું છે. જ્યાં ગ્રામજનો અને ગ્રામ પંચાયતએ સંયુક્ત રીતે ગામને સ્વચ્છ રાખવા કટિબદ્ધતા દર્શાવી છે….
વાંકાનેર તાલુકાના લુણસરીયા ગામે ‘ગામડું સ્વચ્છ બનશે તો દેશ સ્વચ્છ બનશે’ આ વિચારને ખરેખર અમલી બનાવ્યો છે. જ્યાં ગ્રામ પંચાયત દ્વારા નિયમિત રીતે ડોર ટુ ડોર કચરો એકત્ર કરવાની, આ કચરાને યોગ્ય જગ્યાએ ઠાલવી તેનું નિકાલ કરવાની તેમજ ગામમાં તમામ જગ્યાઓએ સ્વચ્છતા જાળવી રાખવાની કામગીરી કરવામાં આવી રહી છે. ગ્રામ પંચાયતની આ કામગીરીમાં ગામ લોકો પણ પૂરતો સહયોગ આપે છે. ગામમાં ક્યાંય ખોટી રીતે કચરો ન થાય, ડોર ટુ ડોર વાહનમાં લીલા તેમજ સૂકા કચરાનું અલગ રીતે વ્યવસ્થાપન થાય અને ગામમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે શક્ય તેટલા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
લુણસરિયા ગામને સ્વચ્છતા માટે ૨૦૦૮માં રાષ્ટ્રપતિ એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે. ગ્રામ પંચાયતની કામગીરી અને લોકોની જનભાગીદારી થકી સ્વચ્છતા માટે આ એવોર્ડ ગામને મળ્યો છે. વિવિધ અભિયાન અન્વયે ગામડાને ફક્ત એકવાર સ્વચ્છ બનાવવાની નહીં પણ અહીં ગામડું સ્વચ્છ બનાવી આ સ્વચ્છતા જાળવી રાખવાની કામગીરી સુપેરે કરવામાં આવી રહી છે. મોરબી જિલ્લાના અન્ય ગામો તેમજ રાજ્યના પણ ગામડાઓ આ નાના એવા ગામથી પ્રેરણા લઈ સ્વચ્છ ભારત અભિયાનને સાર્થક બનાવી શકે છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf