વાંકાનેર તાલુકાના દિઘલીયા ગામે આવેલ પ્રાથમિક શાળા ખાતે સામજીક વનીકરણ રેન્જ-વાંકાનેર (રાજકોટ વિભાગ) દ્વારા નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ વિભાગોમાં કાર્યરત ડો. રાજેશ ઝાલા(M.B.B.S.), ડો. રામ રોજાસરા(M.B.B.S.), ડો. રક્ષા વાટુકીયા (દાંત વિભાગ), ડો. હર્ષદ મહેશ્વરી (ઓર્થોપેડીક સર્જન), ડો‌. પ્રદિપ ભલગામડીયા (B.H.M.S.), ડો. આઇ. એન. માથકીયા (D.Optometrist) સહિતનાએ નિઃશુલ્ક સેવા આપી હતી, જેનો બહોળી સંખ્યામાં ગ્રામજનોએ લાભ લીધો હતો.

આ સાથે જ દિઘલીયા ગ્રામ પંચાયતના સરપંચ રસુલભાઈ ખોરજીયા તથા જીવનજ્યોત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા પુરતો સહયોગ આપ્યો હતો.. આ તકે સામજીક વનીકરણ રેન્જ આર.એફ.ઓ. શ્રી એસ. આર. વાઘેલા, મહિકા વનપાલ એ. કે. માલકીયા, ખાનપર વનપાલ કે. વી. રોજાસરા, ભીમગુડા વનપાલ એમ. વી. વાઘેલા, દલઠી વનપાલ વી. એમ. ગોવાણી તથા નિવૃત્ત આર.એફ.ઓ. ટી. એન.દડાણીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/HSBIa43XQiaFWG9yQhudCV

error: Content is protected !!