વાંકાનેર તાલુકા ભાજપ ઉપપ્રમુખ મહાવીરસિંહ ભરતસિંહ ઝાલાએ ગઇકાલે પોતાના હોદ્દા પરથી રાજીનામું ધરી દેતાં વાંકાનેરના રાજકારણમાં ફરી ગરમાવો આવ્યો છે. વાંકાનેર ભાજપમાં છેલ્લા ઘણા સમયથી ચડાવ-ઉતાર આવતો રહ્યો છે જેમાં ગઈકાલે ફરી પક્ષના એક વફાદાર આગેવાને રાજીનામું આપી દેતા માહોલ ગરમાયો છે….

બાબતે મહાવીરસિંહ ઝાલાએ વાંકાનેર તાલુકા ભાજપ પ્રમુખને લેટર લખી પોતાનું રાજીનામું આપતા જણાવ્યું હતું કે તેઓ પોતાના વાંકાનેર તાલુકા ભાજપ ઉપપ્રમુખ તરીકેના પદ પરથી નાદુરસ્ત તબિયતના કારણે રાજીનામું આપૂ છે જેને સ્વિકારવા માટે તેમણે રજુઆત કરી છે…

બાબતે ખાનગી સુત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ પક્ષમાં છેલ્લા ઘણા સમયથી મહાવીરસિંહની ઉપેક્ષા થતી હોય તેમજ અંદરખાને વાંકાનેર તાલુકા ભાજપમાં આંતરીક વિખવાદ પણ હોય જેના કારણે તેમણે પક્ષના હોદ્દા પરથી રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/BBPmFuPxq5xC5S1cwdDcDq

 

error: Content is protected !!