વાંકાનેર તાલુકાના વિનયગઢ ગામ ખાતે ઝેરી જનાવર કરડી જતાં તરૂણીનું મોત…

0

વાંકાનેર તાલુકાના વિનયગઢ ગામ ખાતે રહેતી એક 13 વર્ષીય તરુણી પોતાના ઘર પાસે રમતી હોય ત્યારે અચાનક તને કોઈ ઝેરી જનાવર કરડી જતા ઝેરી અસર થતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં તબીબે તેને તપાસી મૃત જાહેર કરી હતી, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના વિનયગઢ ગામ ખાતે રહેતા ભાવેશભાઈ મકવાણાની 13 વર્ષની દીકરી કિંજલબેન પોતાના ઘર પાસે રમી રહી હોય ત્યારે તેને કોઈ ઝેરી જનાવર કરડી જતા ઝેરી અસર થતાં તેને તાત્કાલિક સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી,જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને તપાસી મૃત જાહેર કરી હતી, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf