વાંકાનેર તાલુકાના વાઘાસીયા ગામ પાસે આવેલ સીરામીક કારખાનામાં ચાલતી ભઠ્ઠીની આગમાં દાઝી જવાથી શ્રમિકનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી વાંકાનેર પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામ પાસે આવેલ કુસો સીરામીક કારખાનામાં રહીને મજૂરી કામ કરતા ઉમરાવભાઇ માનકેભાઇ આહીરવાદ (ઉ.વ‌. 47) નામનો શ્રમિકન ગઇકાલના રોજ કારખાનામાં મજૂરી કામ કરી રહ્યા હોય ત્યારે અચાનક કોઈ કારણસર કારખાનામાં ચાલતી ભઠ્ઠીની આગમાં તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. જેથી તેણે તાત્કાલિક સારવાર અર્થે વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેમનું મોત થયું હતું…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/KtzP7mx3AkvCarWkgCgoCr

error: Content is protected !!