વાંકાનેર તાલુકાના દલડી ગામ નજીક આજે બપોરના સમયે 23 વર્ષીય એક યુવાને ટ્રેન હેઠળ પડતું મુકી આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં હાલ રેલ્વે પોલીસ દ્વારા યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે…

બનાવની વાંકાનેર રેલ્વે પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના દલડી ગામ ખાતે રહેતા ખોરાજીયા તજુદ્દીન અબ્દુલભાઈ (ઉ.વ 23) નામના યુવાને આજે બપોરના સમયે દલડી રેલ્વે સ્ટેશન નજીક કિમી 688/6-7 પાસે અરનાકુલમ ટ્રેન હેઠળ પડતું મુકી આપઘાત કરી લીધો હતો. જેમાં યુવાનનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયું હતું..

આ બનાવમાં સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ યુવાન કાને ઓછું સાંભળતો હોય જેથી ટ્રેનનો અવાજ ન સંભાવાથી અકસ્માતે તેનું ટ્રેન હડફેટે મોત થયું હતું પરંતુ પોલીસની પ્રાથમિક તપાસમાં હાલ ટ્રેનના ડ્રાઇવરના કથન પરથી યુવાને આપઘાત કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે પરંતુ સત્ય હકીકત પોલીસ તપાસ બાદ જ જાણવા મળશે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/E0Grl1IdoJIGSEz14imJmi

error: Content is protected !!