માળીયા (મીં.) પોલીસે ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના આરોપીઓએ ફરીયાદીની માલીકીની અંજીયાસર ગામની સીમમાં આવેલ સર્વે નં. ૪૧૭૩ વાળી જમીનમાં હે–૨ આરે-૬૯ ચો.મી.-૧૨૧૨ વાળી જમીનમાં કામના આરોપીએ અનઅધીકૃત રીતે ગેરકાયદેસર કબજો કરી જમીન પચાવી પાડી જમીનમાં ખેતી કરી ઉત્પાદન મેળવી આજદીન સુધી કબજો ચાલુ રાખી ગુનો કર્યા બાબતની માળીયા પોલીસે આરોપીઓ વીરુધ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતીબંધ કાયદાની કલમ ૩, ૪(૧), ૪(૩), ૫(સી) મુજબ ગુનો નોંધી ધરપકડ કરવામા આવેલ…

આરોપી શરીફાબેન નોતીયા૨ તરફે મોરબી જીલ્લાના સીનીયર ધારાશાસ્ત્રી દીલીપ આર.અગેચાણીયા રોકાયેલ. આરોપી તરફે દલીલ કરવામાં આવેલી કે આરોપી તદન નદોષ છે. ખોટી ફરીયાદ આધારે પોલીસે ખોટી રીતે આરોપીઓને ગંભીર ગુનામાં સંડોવી દીધેલ છે.આ કામમાં મોટાભાગની તપાસ પુરી થઈ ગયેલ છે.અમો આરોપીની સીધી કે આડકતરી આ ગુનામાં સંડોવણી નથી કોઈ ગુનાહીત ભુતકાળ ધરાવતા નથી.પ્રથમ દર્શનીય રીતે આરોપીઓની આ ગુનામાં સંડોવણી નથી . તેમજ બેઈલ માટેના વીવીધ ચુકાદાઓ રજુ કરેલ.આરોપી પક્ષની દલીલ માન્ય રાખી આરોપીઓને શરતી જામીન પર છોડવાનો હુકમ કરેલ.આ કામમાં આરોપી તરફે મોરબી જીલ્લાના સીનીયર ધારાશાસ્ત્રી દીલીપભાઈ અગેચાણીયા, જીતેન અગેચાણીયા, સુનીલ માલકીયા, જે.ડી.સોલંકી, મોનીકાબેન ગોલતર, હીતેશ પરમાર રોકાયેલા હતા.

તેમજ મોરબી સેસન્સ કોર્ટમાં લેન્ડ ગ્રેબીંગ કેસ (જમીન પચાવી પાડવા) ના કાયદા હેઠળ ધરપકડ થયેલ આરોપીઓ ધીરજભાઈ દેવશીભાઈ શીહોરા જાતે ઠાકોરનો પણ જામીન ઉ૫૨ છુટકારો થયેલો છે.હળવદ પોલીસે ફરીયાદીની ફરીયાદ ઉપરથી આરોપીઓએ ફરીયાદીની માલીકીની કેદા૨ીયા ગામની સીમમાં રેવેન્યુ સર્વે નં ૪૦૦-૧-૩ વાળી જમીનમાં આ કામના આરોપીએ અનઅધીકૃત ૨ીતે ગેર કાયદેસ૨ કબજો ક૨ી જમીન પચાવી પાડી જમીનમાં આરોપીઓએ આજદીન સુધી કબજો ચાલુ રાખી ગુનો કર્યા બાબતની હળવદ પોલીસે આરોપીઓ સામે કરેલ ફરીયાદમાં પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા ૫૨ પ્રતીબંધ કાયદાની કલમ ૩, ૪(૧), ૪(૩), ૫(સી) મુજબ ગુનો નોંધી ધરપકડ કરી હતી જે કેશમાં આરોપી ધીરજભાઇનો જામીન ઉપર છુટકારો થયેલ છે આરોપી તરફેથી મોરબી જીલ્લાના સીનીયર ધારાશાસ્ત્રી દીલીપ અગેચાણીયા રોકાયા છે.

error: Content is protected !!