પુલ તો બન્યો પરંતુ પુલ વચ્ચે રહેલા વિજપોલ જ દુર કરવાનું રહી ગયું, પુલ વચ્ચોવચ વિજપોલથી ગંભીર અકસ્માતનો ખતરો….

વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામથી ચંદ્રપુર ગામ તરફ જતા કાચાં માર્ગે થોડા સમય અગાઉ પાણીનાં નિકાલ માટે બેઠો પુલ બનાવવામાં આવ્યો હતો જેમાં આ પુલ વચ્ચો વચ્ચ વિજપોલ ઊભા કરાતાં અહિ ગંભીર અકસ્માતનો ખતરો તોળાઇ રહ્યો છે….

વાંકાનેરના રાજાવડલા ગામથી ચંદ્રપુર ગામ તરફ જતા કાચાં રસ્તે થોડા સમય અગાઉ પાણીનાં નિકાલ પર બેઠો પુલ બનાવવામાં આવ્યો હતો જેમાં નિર્માણાધિન આ પુલના કામમાં બે વિજપોલ પુલની વચ્ચેથી પસાર થતા હોય જેમાં ગંભીર બેદરકારી દાખવી પુલની વચ્ચે વિજપોલ હટાવ્યા વગર જ આ પુલ બનાવી નાખતા બે વિજપોલ બરોબર પુલની વચ્ચે જ રહી ગયા હતા જેના કારણે અહીંથી પસાર થતાં વાહનચાલકો પર ગંભીર અકસ્માતનો ખતરો તોળાઇ રહ્યો છે જેથી. તાત્કાલિક પુલ વચ્ચે રહેલા આ બંને વિજપોલને દુર કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl

error: Content is protected !!