વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામ ખાતે રહેતી એક પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે એસીડ પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં તેને તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર જ્યાંથી વધુ સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામ ખાતે રહેતા વિજયભાઈ લખમણભાઇ પરમારના પત્ની પ્રભાબેન(ઉ.વ. 29)એ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે એસીડ પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો જેથી તેમને તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેરના ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે હાલ બનાવની નોંધ કરીને મહિલાએ ક્યા કારણોસર આ પગલું ભર્યું છે તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/LNWfZDZNaMfDm0uixgvXkf

error: Content is protected !!