આવતી કાલ રવિવારના રોજ વાંકાનેર શહેરની પીર મશાયખ સાર્વજનિક હોસ્પિટલ ખાતે કાન, નાક અને ગળાના રોગો માટે વિનામૂલ્યે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોરબીની શિવમ્ હોસ્પિટલના નામાંકિત કાન, નાક અને ગળાના રોગોના નિષ્ણાત સર્જન ડો. પ્રેયસ પંડ્યા હાજર રહેશે…

આ નિદાન કેમ્પમાં કાનની રસી, હાડકીનો સડો, એલર્જી નિદાન/ટેસ્ટ, નાકની ત્રાંસી હાડકી, મસા, સાયનસની શરદી, કાકડાના રોગો, સ્વરપેટીના રોગો, ગળાની ગાંઠ, થાઈરોઈડ તથા લાળગ્રંથીના રોગો, નાસુરની તપાસ, બહેરાશ સહિતના રોગોનું નિદાન કરવામાં આવશે….

• કેમ્પની વિગતો •

તારીખ : 05/12/21, રવિવાર
સમય : સવારે 9 થી 1 વાગ્યા સુધી
સ્થળ : પીર મશાયખ સાર્વજનિક હોસ્પિટલ, સીટી સ્ટેશન રોડ, વાંકાનેર

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Jteb7Fbl3faARzF6FQshtT

error: Content is protected !!