સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કેશવાલાના અધ્યક્ષતામાં વાંકાનેર ખાતે વેપારી સંમેલન યોજાયું….

વાંકાનેર શહેરની અમરસિંહજી હાઇસ્કૂલના હોલમાં આજરોજ મોરબી જિલ્લા ભાજપ દ્વારા આગામી લોકસભાની ચૂંટણી અનુસંધાને વેપારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કેશવાલા ખાસ ઉપસ્થિત રહી અને કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારના નવ વર્ષની સિદ્ધિઓ વિશે માહિતી આપી હતી….

બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર મોરબી જિલ્લા ભાજપ દ્વારા આગામી લોકસભાની ચૂંટણી અનુસંધાને આજે વાંકાનેર શહેર ખાતે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કેશવાલાના અધ્યક્ષતામાં વેપારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાંકાનેરના મહારાણા કેશરીદેવસિંહ ઝાલા, પ્રદેશ વેપારી સેલના સદસ્ય શૈલેષભાઈ ઠક્કર, જિલ્લા તથા તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો તથા આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા કેન્દ્રમાં ભાજપ સરકારની સિદ્ધિઓ વિશે માહિતી આપવામાં આવી હતી…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!