કરબલાના ૭૨ શહિદોની યાદમાં અશ્રુભેર મોહરમ પર્વની ઉજવણી કરતાં મુસ્લિમ બિરાદરો, ઠેરઠેર સબિલો, તાજીયા, જુલુસ, ન્યાઝ, લંગર સહિતના કાર્યક્રમો યોજાયાં…

કરબલાના મેદાનમાં સત્ય માટે હઝરત ઇમામ હુસેન અને તેના 72 સાથીદારોએ વહોરેલી શહાદતની યાદમાં મુસ્લિમ સમાજ દ્વારા મનાવાતા મહોર્રમના પર્વમાં ગઇકાલે તાજીયા પડમાં આવ્યા હતા. જેમાં સમગ્ર વાંકાનેર વિસ્તારમાં મોહરમ પર્વની હુસૈની માહોલ વચ્ચે આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. કોરોના કાળના બે વર્ષ બાદ તાજીયા શહેરના રાજમાર્ગો પર જુલુસ સ્વરૂપે ફર્યા હતાં….

મોહરમ નિમિત્તે છેલ્લા દસ દિવસથી સમગ્ર વાંકાનેર વિસ્તારમાં ઠેરઠેર મુસ્લિમ વિસ્તારોમાં ઈમામ હુસૈનની યાદીમાં સબિલો, આમ ન્યાઝ, જાહેર લંગર, તકરીર, મહેફીલ સહિતના પ્રોગ્રામોનું મુસ્લિમ બિરાદરો દ્વારા આયોજન કરવામાં આવતું હતું જેમાં આજે છેલ્લા દિવસે વાંકાનેર શહેરના રાજમાર્ગો પર કલાત્મક તાજીયા જુલુસ સાથે નિકળ્યા હતા જેમાં બહોળી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો આસ્થાભેર જોડાયા હતા…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl

error: Content is protected !!