રામકૃષ્ણ આશ્રમ દ્વારા સ્વામી વિવેકાનંદ ૧૫૮ જન્મજયંતિ નિમિતે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ વર્ષે કોરોના મહામારીને કારણે ઓનલાઇન ૨૬ રાજ્યોમાં આ સ્પર્ધા યોજાઇ હતી. આ સ્પર્ધાઓમાંથી વકૃત્વ સ્પર્ધામાં વાંકાનેરની શ્રીમતી એલ.કે. સંઘવી ગર્લ્સ હાઈસ્કૂલના ધોરણ ૧૦માં અભ્યાસ કરતી વિધાર્થીની રાવલ નિર્જરા જતીનભાઇએ ‘‘ નિર્ભય બનો અને મુસીબતોનો સામનો કરો ’’ વિષેય પર વકૃત્વ રજૂ કરી તેમને ગુજરાત રાજયમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી શાળા અને મોરબી જીલ્લાનું નામ નામ રોશન કર્યું છે…

આ પ્રથમ નંબર પ્રાપ્ત કરવા બદલ વિધા ભારતી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ, શાળા પરિવાર, રાવલ પરિવાર તેમજ શિક્ષણાધિકારી કચેરી દ્વારા વિદ્યાર્થીનીને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખશ્રી લલિતભાઇ મહેતા તેમજ શાળાના પ્રધાનાચાર્ય શ્રી દર્શાનાબેન જાનીએ વિધાર્થીને હ્દય પૂર્વક ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/E0Grl1IdoJIGSEz14imJmi

error: Content is protected !!