વૈજ્ઞાનિક શ્રી સી.વી. રામનની શોધ રામન ઇફેક્ટની યાદમાં આજના દિવસને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેવા અંતર્ગત આજરોજ વાંકાનેર તાલુકાની શ્રી કાનપર પ્રાથમિક શાળા ખાતે ધોરણ 5 થી 8ના વિદ્યાર્થીઓ દ્વારા અભ્યાસમાં આવતા તમામ પ્રયોગો તથા વિજ્ઞાનની અનેક કૃતિઓ સાથેનું પ્રદર્શન યોજી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી…

આ ઉજવણીમાં શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ પ્રયોગો જેવા કે પાણીની ઘનતા, સૌરમંડળ, કંકાલતંત્ર, બાષ્પોત્સર્જન ,ઉષ્માનું વહન, ચુંબકના ગુણધર્મો, વિદ્યુત જનરેટર રચના ,ઈલેક્ટ્રીક ઘંટડી, કેશાકર્ષણનો નિયમ, પૃથ્વીનું પરિભ્રમણ, સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ, વિવિધ પ્રકારના અરીસાઓ અને લેન્સના ઉપયોગો, નાઇટ્રોજન – હાઈડ્રોજન -ઓક્સિજન વાયુઓની બનાવટ, હૃદયની રચના, જળચક્ર,

થ્રીડી પ્રિન્ટર સહિત અન્ય નાના નાના અભ્યાસમાં આવતા પ્રયોગો રજૂ કર્યા હતા, જેમાં બાળકોએ ગ્રામજનોને વિજ્ઞાનના સિદ્ધાંતો, વિવિધ કૃતિઓની રચના વિશેની ઊંડાણપૂર્વકની સમજ આપી. આ પ્રદર્શન નિહાળવા વાલીશ્રીઓ, એસ.એમ.સી. સભ્યો અને ગ્રામ પંચાયતના સભ્યો ઉપસ્થિત રહી બાળકોને ઇનામ આપી તેમના ઉત્સાહમાં વધારો કર્યો હતો. આ આયોજનને સફળ બનાવવા શાળાના ગણિત-વિજ્ઞાનના શિક્ષક અશરફરજા શેરસીયાએ ભારે જહેમત ઉઠાવી હતી…..

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC

error: Content is protected !!