વાંકાનેર તાલુકાના ઘીયાવડ ગામે થોડા દિવસ પહેલા એક પરિણીતાએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો જે બનાવમાં પરિણીતાના ભાઈએ મૃતકના પતિ-સાસરિયા સામે મરવા મજબુર કર્યાની ફરિયાદ નોંધાવી છે. જેથી આ બનાવમાં વાંકાનેર પોલીસે મૃતકના પતિ અને સાસરિયા સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ઘીયાવડ ગામે રહેતી મનીશાબેન સામતભાઇ બાવરીયા(ઉ.વ. 20)એ થોડા દિવસો પહેલાં ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં મૃતક મહિલાના ભાઈ હર્ષદભાઇ ચકુભાઇ થોરીયા(ઉ.વ.24, રહે.ઘીયાવડ)એ તેની બહેનના ૧).પતિ-સામત બુટાભાઇ બાવરીયા, ૨). દિયર-ચોથાભાઇ બુટાભાઇ બાવરીયા,

૩). સસરા-બુટાભાઇ દેવાભાઇ બાવરીયા અને ૪). સાસુ- ધકુબેન બુટાભાઇ બાવરીયા (રહે.બધા ધીયાવડ, તા.વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી છે કે, મૃતક ફરીયાદીની બહેન મનીશાબેન સામતભાઇ બાવરીયાને આરોપીઓએ એકસંપ કરી ઘરકામની નાની નાની બાબતોમાં મેણા-ટોણા મારી દુ:ખ,

ત્રાસ આપી મરવા માટે મજબુર કરતા મરણ જનારે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. આ બનાવની ફરિયાદ પરથી વાંકાનેર પોલીસે તમામ આરોપીઓ સામે આઇ.પી.સી. કલમ- ૩૦૬, ૪૯૮(એ), ૧૧૪ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/DMKrSoCwVbl04O4e5MWfTH

error: Content is protected !!