વાંકાનેર શહેર ખાતે ગઇકાલના રોજ મુસ્લિમ એકતા મંચની ટીમ દ્વારા ધોળકામાં થોડા સમય પહેલા સગીર બાળા પર થયેલ સામૂહિક દુષ્કર્મના બનાવમાં ગૃહમંત્રીને વાંકાનેર મામલતદાર મારફતે આવેદનપત્ર પાઠવી પીડીતા અને તેના પરિવારને ન્યાય અપાવવા માંગ કરી છે….

બાબતે આવેદનપત્રમાં રજુઆત સાથે માંગ કરવામાં આવી છે કે, તા.૧૦-૩ના રોજ ધોળકા ખાતે ૧૫ વર્ષની સગીર બાળા પર સામુહિક દુષ્કર્મનો દુઃખદ બનાવ બનવા પામ્યો છે, આ બનાવને સખત શબ્દોમાં વખોડી આ મામલાની ગંભીરતાને ધ્યાને લઈ આ કેસની તપાસ ખાસ એજન્સીને તેમજ ઉચ્ચ મહિલા અધીકારીને સોંપવામાં આવે તથા સમ્રગ મામલે પીડીતનું નામદાર સુપ્રિમ કોર્ટની સુચના મુજબ કલમ ૧૬૪ મુજબ નીવેદનના આધારે,

વધુ આરોપીઓના નામ નીકળે તો સત્વરે તેમની ધરપકડ કરી અને સ્પેશ્યલ કોર્ટમાં આ મામલાની સુનાવણી થાય તેમજ ગુજરાતની મજબુત કાયદો વ્યવસ્થાને દાગ લગાડતી ઘટનામાં આરોપીઓ પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FQWzB7ZzE0h45fzbIYsLE2

error: Content is protected !!