વાંકાનેર શહેર ભાજપ દ્વારા આજરોજ પંડિત દીનદયાલ ઉપાધ્યાયના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આજે વાંકાનેર શહેરની ગરાસીયા બોર્ડિંગ ખાતે ભાજપ કાર્યકર્તાઓ દ્વારા ભાજપના સ્થાપક પંડિત દિનદયાલ ઉપાધ્યાયને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી…

આ તકે વાંકાનેરના વરિષ્ઠ નાગરિક એવા શ્રી મુળજીભાઈ ગેડીયા જેઓ વાંકાનેર શહેર ખાતે સેવા કેન્દ્ર ચલાવી આવાસ યોજના, પેન્શન યોજના, વિધવા સહાય સહિત 121 સરકારી યોજનાના ફોર્મ ભરીને લોકોની સેવા કરે છે તેમણે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે જ નેશનલ લેવલે કબડ્ડી સ્પર્ધામાં ભાગ લેનાર નૈમિષભાઇ ભીખાભાઇ ખાંડેખા(રાજ્યકક્ષાએ પ્રથમ) અને આનંદભાઈ જયેશભાઈ ધરોડીયાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું…

આ સાથે ભાજપ કાર્યકર્તાઓ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયના જન્મ દિવસ નિમિત્તે વાંકાનેરની મચ્છુ નદીના કિનારે સફાઈ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું. આ તકે પંડિત દિનદયાલ ઉપાધ્યાયના જીવન વિશે પાર્ટીના કાર્યકરોને ઊંડાણ પૂર્વક માહિતી મળે તે માટે મોરબી જિલ્લાના મંત્રીશ્રી નિકુંજભાઈ કોટકે પંડિત દીનદયાલ ઉપાધ્યાયના જીવન ચરિત્ર વિશે વક્તવ્ય રજૂ કર્યું હતું. જેમાં વાંકાનેર ભારતીય જનતા પાર્ટીના સંગઠનના તમામ હોદ્દેદારો, જિલ્લાના હોદ્દેદારો અને પ્રદેશ કારોબારીના સભ્યોએ હાજરી આપી હતી….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/GwvaiaIa6u6Hh5q4m1UAJF

error: Content is protected !!