વાંકાનેર શહેરની ભાટિયા સોસાયટી ખાતે રહેતી એક સગીરાને પરિવારજનો દ્વારા અભ્યાસ બાબતે ઠપકો આપતાં આ બાબતનું લાગી આવતા તેણીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરની ભાટીયા સોસાયટી ખાતે જલારામ જીન પાછળ રહેતી સારાબેન મહેબુબભાઇ ધણીયા (ઉ.વ. 16)નામની સગીરાને પરિવારજનો દ્વારા અભ્યાસ બાબતે ઠપકો આપતાં આ બાબતનું લાગી આવતા સગીરાએ ગઈકાલે પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો….

બનાવની જાણ થતાં વાંકાનેર સીટી પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે..

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/GwvaiaIa6u6Hh5q4m1UAJF

error: Content is protected !!