વાંકાનેર શહેરના આંબેડકરનગર વિસ્તારમાં શેરી નં. 5 ખાતે રહેતા એક યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે જે બનાવની વાંકાનેર શહેર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના આંબેડકરનગર વિસ્તારમાં શેરી નંબર 5 ખાતે રહેતા રાહુલભાઈ રાજેશભાઈ વાઘેલા નામના 22 વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો જે બાદ બનાવની જાણ વાંકાનેર શહેર પોલીસને થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતક યુવાનના મૃતદેહને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી યુવાને ક્યાં કારણોસર આ પગલું ભર્યું તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/K9LOywS76zl4e4qPDbPIoN