વાંકાનેર તાલુકાના લુણાસર ગામ ખાતે રહેતા એક યુવાન પર ત્રણ શખ્સોએ જુના મનદુઃખનો ખાર રાખી લાકડી અને પાઇપ વડે હુમલો કરી માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવમાં યુવાનની ફરિયાદ પરથી વાંકાનેર તાલુકા પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના લુણસર ગામ ખાતે રહેતા નિતેશભાઇ તખુભાઈ કડીવાર (ઉ.વ. ૩૦)એ આરોપી મહેશભાઈ દલસુખભાઈ કડીવાર, પ્રકાશભાઈ દલસુખભાઈ કડીવાર અને વિપુલભાઇ દલસુખભાઈ કડીવાર (રહે.ત્રણેય લુણસર) સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીને આરોપી સાથે અગાઉ થયેલ મનદુઃખનો ખાર રાખીને આરોપીઓએ તેમના પર પાઇપ અને ધોકા વડે હુમલો કરી માર માર્યો હતો,

જેમાં તેને હાથમાં ફ્રેકચર અને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી તથા આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી યુવાને હોસ્પિટલ ખાતે સારવાર લીધા બાદ વાંકાનેર તાલુકા પોલીસમાં ત્રણેય આરોપીઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ સામે વિધિવત ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…..

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Jteb7Fbl3faARzF6FQshtT

error: Content is protected !!