વાંકાનેર શહેર નજીક આવેલ એક સીરામીક કારખાનામાં પહેલા માળેથી નીચે પડી ગયેલા આધેડને તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર જ્યાંથી રાજકોટ અને બાદમાં વધુ સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક આવેલ બ્લીઝાર્ડ સીરામીક કારખાનાની અંદર રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા કરણસિંહ ધનાભાઈ ડામોર (ઉ.વ. ૫૦, રહે. મુળ શોભાપુરા એમપી) કારખાનામાં કામ કરતી વેળાએ પહેલા માળા ઉપરથી નીચે પડી જતા તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી તેમને પ્રથમ વાંકાનેર બાદ રાજકોટ અને ત્યાંથી વધુ સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમ્યાન તેઓનું તા. ૫/૧૧ ના રોજ મઘત થયું હતું જેથી આ બનાવની અમદાવાદ પોલીસ દ્વારા વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Jteb7Fbl3faARzF6FQshtT

error: Content is protected !!