આગામી દિવાળી તહેવારો અનુસંધાને વાંકાનેર માર્કેટીંગ યાર્ડ દ્વારા સાત દિવસના વેકેશનની જાહેરાત કરવામાં આવી છે, જે સમય દરમિયાન વાંકાનેર માર્કેટીંગ યાર્ડની તમામ કામગીરી બંધ રાખવાનો નિર્ણય મેનેજમેન્ટ દ્વારા લેવામાં આવ્યો છે…

બાબતે માહિતી આપતા વાંકાનેર માર્કેટીંગ યાર્ડના સેક્રેટરીએ એક પ્રેસ યાદીમાં જણાવ્યું છે કે, દિવાળીના તહેવારને ધ્યાને લઈને આગામી તા. 11/11/23, શનિવારથી લઈને તા. 17/11/23, શુક્રવાર સુધી વાંકાનેર માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે, જે સમર દરમ્યાન યાર્ડના તમામ કામકાજ બંધ રહેશે, જેની તમામ વેપારી મિત્રો, એજન્ટો તથા ખેડૂત ભાઇઓએ નોંધ લેવી. આ રજાના દિવસોમાં યાર્ડમાં ખેત જણસીની ઉતરાય પણ બંધ રહેશે તેમજ તા. 17 નવેમ્બરથી યાર્ડમાં ઉતરાય શરૂ કરવામાં આવશે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf

error: Content is protected !!